યશાયા 37 : 1 (IRVGU)
જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો.
યશાયા 37 : 2 (IRVGU)
તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. [PE][PS]
યશાયા 37 : 3 (IRVGU)
તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે.
યશાયા 37 : 4 (IRVGU)
આશૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.” [PE][PS]
યશાયા 37 : 5 (IRVGU)
તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા.
યશાયા 37 : 6 (IRVGU)
અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: 'યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ.
યશાયા 37 : 7 (IRVGU)
જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તરવારથી મારી નંખાવીશ.”'” [PE][PS]
યશાયા 37 : 8 (IRVGU)
જ્યારે રાબશાકે પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશૂરનો રાજા લિબ્નાની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.
યશાયા 37 : 9 (IRVGU)
જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું,
યશાયા 37 : 10 (IRVGU)
“હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, 'જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશૂરના રાજાના હાથમાં નહિ પડશે.” [PE][PS]
યશાયા 37 : 11 (IRVGU)
આશૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?
યશાયા 37 : 12 (IRVGU)
જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?
યશાયા 37 : 13 (IRVGU)
હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઈવાનો રાજા ક્યાં છે? [PE][PS]
યશાયા 37 : 14 (IRVGU)
હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો.
યશાયા 37 : 15 (IRVGU)
હિઝકિયાએ યહોવાહને પ્રાર્થના કરી:
યશાયા 37 : 16 (IRVGU)
હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે. [PE][PS]
યશાયા 37 : 17 (IRVGU)
હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો.
યશાયા 37 : 18 (IRVGU)
હે યહોવાહ, ખરેખર આશૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે. [PE][PS]
યશાયા 37 : 19 (IRVGU)
તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશૂરે તેમનો નાશ કર્યો છે.
યશાયા 37 : 20 (IRVGU)
તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો.” [PE][PS]
યશાયા 37 : 21 (IRVGU)
પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, 'આશૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.'
યશાયા 37 : 22 (IRVGU)
તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: [QBR] “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; [QBR] યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે. [QBR]
યશાયા 37 : 23 (IRVGU)
તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે [QBR] અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ. [QBR]
યશાયા 37 : 24 (IRVGU)
તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, 'મારા રથોના જૂથ સાથે [QBR] હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; [QBR] હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; [QBR] અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ. [QBR]
યશાયા 37 : 25 (IRVGU)
મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; [QBR] મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.' [QBR]
યશાયા 37 : 26 (IRVGU)
શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે [QBR] અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, [QBR] તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય. [QBR]
યશાયા 37 : 27 (IRVGU)
તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા. [QBR] તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ, [QBR] અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ, [QBR] પૂર્વના વાયુ જેવા થઈ ગયા. [QBR]
યશાયા 37 : 28 (IRVGU)
પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું. [QBR]
યશાયા 37 : 29 (IRVGU)
મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે [QBR] હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને [QBR] જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.” [QBR]
યશાયા 37 : 30 (IRVGU)
તારા માટે આ ચિહ્ન થશે: [QBR] આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો. [QBR] પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષાવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો. [QBR]
યશાયા 37 : 31 (IRVGU)
યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી મૂળમાંથી પોતાની જડ ફૂટશે અને તેને ફળ આવશે. [QBR]
યશાયા 37 : 32 (IRVGU)
કેમ કે, યરુશાલેમ તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે;' [QBR] સૈન્યોના યહોવાહની ઉત્કંઠાથી તે થશે.” [QBR]
યશાયા 37 : 33 (IRVGU)
તેથી આશૂરના રાજા વિષે યહોવાહ કહે છે: [QBR] “તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, [QBR] તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ. [QBR]
યશાયા 37 : 34 (IRVGU)
જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું. [QBR]
યશાયા 37 : 35 (IRVGU)
કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.” [PE][PS]
યશાયા 37 : 36 (IRVGU)
યહોવાહના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં.
યશાયા 37 : 37 (IRVGU)
તેથી આશૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો. [PE][PS]
યશાયા 37 : 38 (IRVGU)
પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: