ઊત્પત્તિ 9 : 1 (IRVGU)
પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
ઊત્પત્તિ 9 : 2 (IRVGU)
પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે. [PE][PS]
ઊત્પત્તિ 9 : 3 (IRVGU)
પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
ઊત્પત્તિ 9 : 4 (IRVGU)
પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું. [PE][PS]
ઊત્પત્તિ 9 : 5 (IRVGU)
હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.
ઊત્પત્તિ 9 : 6 (IRVGU)
જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.
ઊત્પત્તિ 9 : 7 (IRVGU)
તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.” [PE][PS]
ઊત્પત્તિ 9 : 8 (IRVGU)
પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,
ઊત્પત્તિ 9 : 9 (IRVGU)
“હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
ઊત્પત્તિ 9 : 10 (IRVGU)
અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. [PE][PS]
ઊત્પત્તિ 9 : 11 (IRVGU)
તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ. [PE][PS]
ઊત્પત્તિ 9 : 12 (IRVGU)
ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
ઊત્પત્તિ 9 : 13 (IRVGU)
મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે. [PE][PS]
ઊત્પત્તિ 9 : 14 (IRVGU)
જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
ઊત્પત્તિ 9 : 15 (IRVGU)
ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ. [PE][PS]
ઊત્પત્તિ 9 : 16 (IRVGU)
મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.” [PE][PS]
ઊત્પત્તિ 9 : 17 (IRVGU)
પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.” [PE][PS]
ઊત્પત્તિ 9 : 18 (IRVGU)
નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
ઊત્પત્તિ 9 : 19 (IRVGU)
નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ. [PE][PS]
ઊત્પત્તિ 9 : 20 (IRVGU)
નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષાવાડી રોપી.
ઊત્પત્તિ 9 : 21 (IRVGU)
તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો. [PE][PS]
ઊત્પત્તિ 9 : 22 (IRVGU)
કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.
ઊત્પત્તિ 9 : 23 (IRVGU)
તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ. [PE][PS]
ઊત્પત્તિ 9 : 24 (IRVGU)
જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું.
ઊત્પત્તિ 9 : 25 (IRVGU)
તેથી તેણે કહ્યું કે, [QBR] “કનાન શાપિત થાય. [QBR2] દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.” [PE][PS]
ઊત્પત્તિ 9 : 26 (IRVGU)
તેણે કહ્યું કે, [QBR] “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. [QBR2] કનાન તેનો દાસ થાઓ. [QBR]
ઊત્પત્તિ 9 : 27 (IRVGU)
યાફેથને યહોવા વૃદ્ધિ આપો, [QBR2] અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. [QBR2] કનાન તેનો દાસ થાઓ.” [PE][PS]
ઊત્પત્તિ 9 : 28 (IRVGU)
જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
ઊત્પત્તિ 9 : 29 (IRVGU)
નવસો પચાસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: