ઊત્પત્તિ 5 : 1 (IRVGU)
આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
ઊત્પત્તિ 5 : 2 (IRVGU)
પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું. [PE][PS]
ઊત્પત્તિ 5 : 3 (IRVGU)
જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
ઊત્પત્તિ 5 : 4 (IRVGU)
શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 5 (IRVGU)
આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 6 (IRVGU)
જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
ઊત્પત્તિ 5 : 7 (IRVGU)
અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 8 (IRVGU)
શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 9 (IRVGU)
જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
ઊત્પત્તિ 5 : 10 (IRVGU)
કેનાનના જન્મ પછી તે આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 11 (IRVGU)
અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 12 (IRVGU)
જયારે તેના પુત્ર માહલાએલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
ઊત્પત્તિ 5 : 13 (IRVGU)
માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 14 (IRVGU)
કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 15 (IRVGU)
જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાએલ પાંસઠ વર્ષનો હતો.
ઊત્પત્તિ 5 : 16 (IRVGU)
યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 17 (IRVGU)
માહલાએલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 18 (IRVGU)
જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
ઊત્પત્તિ 5 : 19 (IRVGU)
હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 20 (IRVGU)
યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 21 (IRVGU)
તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
ઊત્પત્તિ 5 : 22 (IRVGU)
હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 23 (IRVGU)
હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
ઊત્પત્તિ 5 : 24 (IRVGU)
હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 25 (IRVGU)
જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
ઊત્પત્તિ 5 : 26 (IRVGU)
લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 27 (IRVGU)
મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 28 (IRVGU)
જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 29 (IRVGU)
તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.” [PE][PS]
ઊત્પત્તિ 5 : 30 (IRVGU)
નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
ઊત્પત્તિ 5 : 31 (IRVGU)
લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. [PE][PS]
ઊત્પત્તિ 5 : 32 (IRVGU)
નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: