નિર્ગમન 1 : 1 (IRVGU)
ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે:
નિર્ગમન 1 : 2 (IRVGU)
રુબેન, શિમયોન, લેવી અને યહૂદા,
નિર્ગમન 1 : 3 (IRVGU)
ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન,
નિર્ગમન 1 : 4 (IRVGU)
દાન, નફતાલી, ગાદ અને આશેર.
નિર્ગમન 1 : 5 (IRVGU)
યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર આત્મા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.
નિર્ગમન 1 : 6 (IRVGU)
કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં.
નિર્ગમન 1 : 7 (IRVGU)
પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.
નિર્ગમન 1 : 8 (IRVGU)
પછી મિસરમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યૂસફ વિષે કશી જાણકારી ન હતી.
નિર્ગમન 1 : 9 (IRVGU)
તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “આ ઇઝરાયલીઓને જુઓ; તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે.
નિર્ગમન 1 : 10 (IRVGU)
માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિ તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે.”
નિર્ગમન 1 : 11 (IRVGU)
તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.
નિર્ગમન 1 : 12 (IRVGU)
પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા.
નિર્ગમન 1 : 13 (IRVGU)
મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી.
નિર્ગમન 1 : 14 (IRVGU)
તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું.
નિર્ગમન 1 : 15 (IRVGU)
મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો,
નિર્ગમન 1 : 16 (IRVGU)
“જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માટે ખાટલા પાસે જાઓ ત્યારે જો તેઓને છોકરા જન્મે તો તેઓને મારી નાખવા. પણ જો છોકરી જન્મે તો તમારે તેઓને જીવતી રહેવા દેવી.”
નિર્ગમન 1 : 17 (IRVGU)
પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.
નિર્ગમન 1 : 18 (IRVGU)
એ જાણીને રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?”
નિર્ગમન 1 : 19 (IRVGU)
ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે.”
નિર્ગમન 1 : 20 (IRVGU)
તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી.
નિર્ગમન 1 : 21 (IRVGU)
આમ ઇઝરાયલ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી. દાયણો ઈશ્વરથી ડરીને ચાલતી હતી એટલે ઈશ્વરે તેઓને સંતાનોનાં કૃપાદાન આપ્યાં.
નિર્ગમન 1 : 22 (IRVGU)
પછી ફારુને પોતાના બધા લોકોને ફરમાન કર્યું કે, “નવા જન્મેલા બધા જ ઇઝરાયલી છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓ ભલે જીવતી રહે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22