ગીતશાસ્ત્ર 49 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે સર્વ જગવાસીઓ, કાન દો.
ગીતશાસ્ત્ર 49 : 2 (GUV)
નીચ તથા ઉચ્ચ, ધનવંત તથા દરિદ્રી, સર્વ સાથે [સાંભળો].
ગીતશાસ્ત્ર 49 : 3 (GUV)
હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ; અને મારા હ્રદયના વિચારો જ્ઞાન વિષે થશે.
ગીતશાસ્ત્ર 49 : 4 (GUV)
હું દ્દષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.
ગીતશાસ્ત્ર 49 : 5 (GUV)
મારી પાછળ પડનારાઓ મને અન્યાયથી ઘેરે છે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?
ગીતશાસ્ત્ર 49 : 6 (GUV)
જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે, અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે,
ગીતશાસ્ત્ર 49 : 7 (GUV)
[તેઓમાંનો] કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી;
ગીતશાસ્ત્ર 49 : 8 (GUV)
(કેમ કે તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે અને એ [વિચાર] તેણે સદાને માટે છોડી દેવો જોઈએ),
ગીતશાસ્ત્ર 49 : 9 (GUV)
કે તે હજી સદા જીવતો રહે અને કબરમાં દટાય નહિ.
ગીતશાસ્ત્ર 49 : 10 (GUV)
કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.
ગીતશાસ્ત્ર 49 : 11 (GUV)
તેઓનાં અંતરનો વિચાર એવો છે કે અમારાં ઘર સદા [ટકશે], અમારાં રહેઠાણ પેઢી દરપેઢી [કાયમ રહેશે]; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
ગીતશાસ્ત્ર 49 : 12 (GUV)
પણ માણસ માનવંત હોવા છતાં ટકી રહેતો નથી; તે નાશવંત પશુના જેવો છે.
ગીતશાસ્ત્ર 49 : 13 (GUV)
આપમતિયા માણસોનો માર્ગ એવો છે; તેમ છતાં તેમની પછીના લોક તેમના બોલ પસંદ કરે છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 49 : 14 (GUV)
તેમને શેઓલમાં [લઈ જવાના] ટોળા જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે; તેઓનું સૌન્દર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, કંઈ બાકી ન રહે.
ગીતશાસ્ત્ર 49 : 15 (GUV)
પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 49 : 16 (GUV)
જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય છે, ત્યારે તું ગભરાતો નહિ;
ગીતશાસ્ત્ર 49 : 17 (GUV)
કેમ કે તે મરી જશે ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.
ગીતશાસ્ત્ર 49 : 18 (GUV)
જ્યારે તે જીવતો હતો ત્યારે તે પોતાના આત્માને ધન્યવાદ આપતો હતો; અને તું તારું પોતાનું ભલું કરે છે ત્યારે માણસો તારાં વખાણ કરે છે.
ગીતશાસ્ત્ર 49 : 19 (GUV)
તોપણ તે પોતાના પૂર્વજોના જમાનાના લોકોની પાસે ચાલ્યો જશે; તેઓ કદી પાછું અજવાળું જોશે નહિ.
ગીતશાસ્ત્ર 49 : 20 (GUV)
જે માણસ આબરૂદાર છતાં બુદ્ધિહીન છે, તે નાશવંત પશુ જેવો છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: