ગીતશાસ્ત્ર 2 : 1 (GUV)
વિદેશીઓ કેમ તોફાન કરે છે, અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?
ગીતશાસ્ત્ર 2 : 2 (GUV)
યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:
ગીતશાસ્ત્ર 2 : 3 (GUV)
“તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.”
ગીતશાસ્ત્ર 2 : 4 (GUV)
આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
ગીતશાસ્ત્ર 2 : 5 (GUV)
ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે, અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.
ગીતશાસ્ત્ર 2 : 6 (GUV)
પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.
ગીતશાસ્ત્ર 2 : 7 (GUV)
હું તો એ ઠરાવ જાહેર કરીશ; યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે; આજ મેં તને જન્મ આપ્યો છે.
ગીતશાસ્ત્ર 2 : 8 (GUV)
તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
ગીતશાસ્ત્ર 2 : 9 (GUV)
તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
ગીતશાસ્ત્ર 2 : 10 (GUV)
હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો.
ગીતશાસ્ત્ર 2 : 11 (GUV)
ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.
ગીતશાસ્ત્ર 2 : 12 (GUV)
પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: