ગીતશાસ્ત્ર 111 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હ્રદયથી યહોવાની આભારસ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 111 : 2 (GUV)
યહોવાનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.
ગીતશાસ્ત્ર 111 : 3 (GUV)
તેમનું કામ તેજસ્વી તથા શોભાયમાન છે; અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
ગીતશાસ્ત્ર 111 : 4 (GUV)
તેમણે પોતાનાં ચમત્કારી કામોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવા કૃપાળુ તથા દયાથી ભરપૂર છે.
ગીતશાસ્ત્ર 111 : 5 (GUV)
જેઓ તેમના ભક્તો છે તેમને તેમણે ખોરાક આપ્યો છે. તે પોતાના કરારનું સદાકાળ સ્મરણ રાખશે.
ગીતશાસ્ત્ર 111 : 6 (GUV)
વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં કામોનું પરાક્રમ દેખાડ્યું છે.
ગીતશાસ્ત્ર 111 : 7 (GUV)
તેમના હાથનાં કામ સત્યતા અને ન્યાય છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
ગીતશાસ્ત્ર 111 : 8 (GUV)
તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા પ્રામાણિકપણે કરવામાં આવેલી છે.
ગીતશાસ્ત્ર 111 : 9 (GUV)
તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
ગીતશાસ્ત્ર 111 : 10 (GUV)
યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: