ગીતશાસ્ત્ર 107 : 1 (GUV)
“યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].”
ગીતશાસ્ત્ર 107 : 2 (GUV)
એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા;
ગીતશાસ્ત્ર 107 : 3 (GUV)
અને દેશેદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી, તેઓને એકત્ર કર્યા.
ગીતશાસ્ત્ર 107 : 4 (GUV)
અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા; તેઓને વસવાનું શહેર મળ્યું નહિ.
ગીતશાસ્ત્ર 107 : 5 (GUV)
ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
ગીતશાસ્ત્ર 107 : 6 (GUV)
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુ:ખમાંથી છોડાવ્યા.
ગીતશાસ્ત્ર 107 : 7 (GUV)
તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે, તેઓ વસવાલાયક નગરે પહોંચે.
ગીતશાસ્ત્ર 107 : 8 (GUV)
આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું]!
ગીતશાસ્ત્ર 107 : 9 (GUV)
કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
ગીતશાસ્ત્ર 107 : 10 (GUV)
ઈશ્વરનાં વચનોની સામા થઈને અને પરાત્પરના પ્રબોધને તુચ્છ ગણીને,
ગીતશાસ્ત્ર 107 : 11 (GUV)
જેઓ અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા અને આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા,
ગીતશાસ્ત્ર 107 : 12 (GUV)
તેઓનાં હ્રદય તેમણે કષ્ટથી નરમ કરી નાખ્યાં; તેઓ લથડી પડ્યા, અને તેમને સહાય કરનાર કોઈ ન હતો.
ગીતશાસ્ત્ર 107 : 13 (GUV)
ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
ગીતશાસ્ત્ર 107 : 14 (GUV)
તે તેઓને અંધકારમાંથી તથા મરણછાયામાંથી કાઢી લાવ્યા, અને તેઓનાં બંધન તોડી નાખ્યાં
ગીતશાસ્ત્ર 107 : 15 (GUV)
આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું]!
ગીતશાસ્ત્ર 107 : 16 (GUV)
વળી તેમણે પિત્તળના દરવાજા ભાંગ્યા, અને લોઢાની ભૂંગળો તોડી નાખી.
ગીતશાસ્ત્ર 107 : 17 (GUV)
મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે.
ગીતશાસ્ત્ર 107 : 18 (GUV)
તેઓના જીવ સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે; અને તેઓ મરણના દ્વાર સુધી આવી પહોંચે છે.
ગીતશાસ્ત્ર 107 : 19 (GUV)
ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી તારે છે.
ગીતશાસ્ત્ર 107 : 20 (GUV)
તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે, અને દુર્દશામાંથી તેમને ઉગારે છે.
ગીતશાસ્ત્ર 107 : 21 (GUV)
આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું]!
ગીતશાસ્ત્ર 107 : 22 (GUV)
વળી તેઓ સ્તુત્યાર્પણ ચઢાવે, અને તેમનાં કામ ગાયનથી વર્ણવે.
ગીતશાસ્ત્ર 107 : 23 (GUV)
જેઓ વહાણમાં બેસીને સમુદ્રે ઊતરે છે, અને ભરદરિયામાં ધંધો ચલાવે છે;
ગીતશાસ્ત્ર 107 : 24 (GUV)
તેઓ યહોવાનાં કૃત્યો તથા ઊંડાણમાંના તેમનાં આશ્ચર્ય [કારક કાર્યો] જુએ છે.
ગીતશાસ્ત્ર 107 : 25 (GUV)
તે આજ્ઞા આપીને વાયુને ચઢાવે છે, જેથી તેમનાં મોજાં ઊછળતાં થઈ જાય છે.
ગીતશાસ્ત્ર 107 : 26 (GUV)
તેઓ આકાશ સુધી ચઢે છે, ને પાછાં ઊંડાણોમાં ઊતરે છે; તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
ગીતશાસ્ત્ર 107 : 27 (GUV)
તેઓ આમતેમ ડોલતાં પીધેલાની જેમ લથડે છે, અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
ગીતશાસ્ત્ર 107 : 28 (GUV)
ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
ગીતશાસ્ત્ર 107 : 29 (GUV)
તે તોફાન બંધ પાડે છે, જેથી મોજાં શાંત થાય છે.
ગીતશાસ્ત્ર 107 : 30 (GUV)
ત્યારે શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે; અને તે તેઓને ઇચ્છેલે બંદરે પહોંચાડે છે.
ગીતશાસ્ત્ર 107 : 31 (GUV)
આ ઈશ્વરની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું]!
ગીતશાસ્ત્ર 107 : 32 (GUV)
લોકો પોતાની સભામાં ઈશ્વરને મોટા માનો, અને વડીલોના મંડળમાં તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 107 : 33 (GUV)
તે નદીઓને સ્થાને રાન, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
ગીતશાસ્ત્ર 107 : 34 (GUV)
અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.
ગીતશાસ્ત્ર 107 : 35 (GUV)
વળી તે રાનને સ્થાને સરોવર, અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
ગીતશાસ્ત્ર 107 : 36 (GUV)
તેમાં તે ભૂખ્યાંને વસાવે છે. જેથી તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
ગીતશાસ્ત્ર 107 : 37 (GUV)
તેઓ ખેતરમાં વાવેતર કરે છે. અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ પેદા કરે છે.
ગીતશાસ્ત્ર 107 : 38 (GUV)
તે તેઓને આશીર્વાદ આપે છે, અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; વળી તે તેઓનાં ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી.
ગીતશાસ્ત્ર 107 : 39 (GUV)
તેઓને જુલમથી, વિપત્તિથી તથા શોકથી પાછા ઘટાડવામાં આવે છે, અને નીચા પાડવામાં આવે છે.
ગીતશાસ્ત્ર 107 : 40 (GUV)
તે અમીર ઉમરાવો ઉપર અપમાન લાવે છે, અને માર્ગ વગરના અરણ્યમાં તેઓને રખડાવે છે.
ગીતશાસ્ત્ર 107 : 41 (GUV)
તોયે તે કંગાલોને સંકટમાંથી કાઢીને ચઢતીમાં લાવે છે, અને તેનાં કુટુંબોને ટોળાની માફક વધારી દે છે.
ગીતશાસ્ત્ર 107 : 42 (GUV)
ન્યાયીઓ તે જોઈને આનંદ પામશે, અને સર્વ અન્યાયીઓનાં મોઢાં બંધ થશે.
ગીતશાસ્ત્ર 107 : 43 (GUV)
જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાની કૃપા વિષે વિચાર કરશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: