માથ્થી 26 : 1 (GUV)
અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
માથ્થી 26 : 2 (GUV)
“તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે; અને માણસનો દીકરો વધસ્તંભે જડાવા માટે પરસ્વાધીન કરાય છે.”
માથ્થી 26 : 3 (GUV)
ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.
માથ્થી 26 : 4 (GUV)
અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.
માથ્થી 26 : 5 (GUV)
પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”
માથ્થી 26 : 6 (GUV)
અને ઈસુ બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા,
માથ્થી 26 : 7 (GUV)
ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્‍ત્રી તેમની પાસે આવી, ને તે જમવા બેઠા હતા ત્યારે તેમના માથા પર તેણે તે રેડ્યું.
માથ્થી 26 : 8 (GUV)
પણ તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું, “એ નુકસાન શા માટે?
માથ્થી 26 : 9 (GUV)
કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત, ને દરિદ્રીઓને અપાત.”
માથ્થી 26 : 10 (GUV)
ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “એ સ્‍ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.
માથ્થી 26 : 11 (GUV)
કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
માથ્થી 26 : 12 (GUV)
તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું એ તો મારા દટાવાની તૈયારીને માટે તેણે કર્યું.
માથ્થી 26 : 13 (GUV)
હું તમને ખચીત કહું છું કે, આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”
માથ્થી 26 : 14 (GUV)
ત્યારે યહૂદા ઈશકારિયોત નામે તે બારમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને
માથ્થી 26 : 15 (GUV)
કહ્યું, “હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોળી આપ્યા.
માથ્થી 26 : 16 (GUV)
અને ત્યારથી તેણે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો.
માથ્થી 26 : 17 (GUV)
અને બેખમીર રોટલીના [પર્વને] પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઇચ્છા છે?”
માથ્થી 26 : 18 (GUV)
ત્યારે તેમણે કહ્યું. “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે; હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું.’”
માથ્થી 26 : 19 (GUV)
અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું, ને પાસ્ખા તૈયાર કર્યું.
માથ્થી 26 : 20 (GUV)
અને સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે જમવા બેઠા.
માથ્થી 26 : 21 (GUV)
અને તેઓ જમતા હતા ત્યારે તેમણે તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.”
માથ્થી 26 : 22 (GUV)
ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા, ને તેઓમાંનો દરેક તેમને પૂછવા લાગ્યો, “પ્રભુ, શું તે હું છું?”
માથ્થી 26 : 23 (GUV)
અને તેમણે ઉત્તર દીધો, “જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે.
માથ્થી 26 : 24 (GUV)
માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.”
માથ્થી 26 : 25 (GUV)
ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું, “રાબ્બી, શું તે હું છું?” તે તેને કહે છે, “તેં પોતે જ કહ્યું.”
માથ્થી 26 : 26 (GUV)
અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, “લો, ખાઓ; એ મારું શરીર છે.”
માથ્થી 26 : 27 (GUV)
અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને ક્હ્યું, “તમે સહુ એમાંનું પીઓ.
માથ્થી 26 : 28 (GUV)
કેમ કે [નવા] કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.
માથ્થી 26 : 29 (GUV)
અને હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”
માથ્થી 26 : 30 (GUV)
અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા.
માથ્થી 26 : 31 (GUV)
ત્યારે ઈસુ તેઓને કહે છે, “તમે સહુ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે, હું ઘેટાપાળકને મારીશ, ને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’
માથ્થી 26 : 32 (GUV)
પણ મારા ઊઠયા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
માથ્થી 26 : 33 (GUV)
ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો “જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય, તોપણ હું કદી ઠોકર નહિ ખાઈશ.”
માથ્થી 26 : 34 (GUV)
ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.”
માથ્થી 26 : 35 (GUV)
પિત્તર તેમને કહે છે, “જો કે તમારી સાથે મારે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
માથ્થી 26 : 36 (GUV)
ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક સ્થળે આવે છે, ને શિષ્યોને કહે છે, “હું પણે જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”
માથ્થી 26 : 37 (GUV)
અને પિતરને તથા ઝબદીના બન્‍ને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.
માથ્થી 26 : 38 (GUV)
તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”
માથ્થી 26 : 39 (GUV)
પછી તેમણે થોડે આઘે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
માથ્થી 26 : 40 (GUV)
પછી શિષ્યોની પાસે તે આવે છે, ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, “શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
માથ્થી 26 : 41 (GUV)
જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો! આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”
માથ્થી 26 : 42 (GUV)
વળી બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.”
માથ્થી 26 : 43 (GUV)
ત્યારે તેમણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો [ઊંઘથી] ભારે થઈ હતી.
માથ્થી 26 : 44 (GUV)
અને તે ફરીથી તેઓને મૂકીને ગયા, ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
માથ્થી 26 : 45 (GUV)
ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે, “હવે ઊંઘ્યા કરો, ને આરામ લો; જુઓ, તે ઘડી પાસે આવી છે, ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે.
માથ્થી 26 : 46 (GUV)
ઊઠો, આપણે જઈએ, જુઓ મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે.”
માથ્થી 26 : 47 (GUV)
અને તે હજી બોલતા હતા એટલામાં જુઓ, બારમાંનો એક, એટલે યહૂદા, આવ્યો. અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
માથ્થી 26 : 48 (GUV)
હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી, “હું જેને ચૂમીશ તે જ તે છે; તેને પકડી લેજો.”
માથ્થી 26 : 49 (GUV)
અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “રાબ્બી, સલામ”; અને તે તેમને ચૂમ્યો.
માથ્થી 26 : 50 (GUV)
અને ઈસુએ તેને કહ્યું, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેમને પકડી લીધા.
માથ્થી 26 : 51 (GUV)
પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી, ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.
માથ્થી 26 : 52 (GUV)
ત્યારે ઈસુ તેને કહે છે, “તારી તરવાર તેના મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.
માથ્થી 26 : 53 (GUV)
શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે?
માથ્થી 26 : 54 (GUV)
તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”
માથ્થી 26 : 55 (GUV)
તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું, “તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તોપણ તમે મને પકડ્યો નહોતો;
માથ્થી 26 : 56 (GUV)
પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.
માથ્થી 26 : 57 (GUV)
પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્‍ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.
માથ્થી 26 : 58 (GUV)
અને પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો, ને અંદર જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો.
માથ્થી 26 : 59 (GUV)
અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;
માથ્થી 26 : 60 (GUV)
અને જો કે ઘણા જૂઠા સાક્ષી આવ્યા, તોપણ તે ન જડી; પણ પાછળથી બે જણ આવીને
માથ્થી 26 : 61 (GUV)
બોલ્યા, “એણે એમ કહ્યું કે, હું ઈશ્વરનું મંદિર પાડી નાખવાને તથા તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું”
માથ્થી 26 : 62 (GUV)
ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ જ ઉત્તર નથી આપતો? તેઓ તારી વિરુદ્ધ કેવી સાક્ષી આપે છે?”
માથ્થી 26 : 63 (GUV)
પણ ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.”
માથ્થી 26 : 64 (GUV)
ઈસુ તેને કહે છે, “તેં પોતે જ કહ્યું; પરંતુ હું તમને કહું છું કે, હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો.”
માથ્થી 26 : 65 (GUV)
ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં વસ્‍ત્ર ફાડીને કહ્યું, “એણે દુર્ભાષણ કર્યું છે; હવે આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
માથ્થી 26 : 66 (GUV)
તમે શું ધારો છો?” અને તેઓએ ઉત્તર આપ્યો, “એ મરણજોગ છે.”
માથ્થી 26 : 67 (GUV)
ત્યારે તેઓએ તેમના મોં પર થૂંકીને તેમને મુક્કીઓ મારી; અને બીજાઓએ તેમને થબડાકો મારીને
માથ્થી 26 : 68 (GUV)
કહ્યું, “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ.”
માથ્થી 26 : 69 (GUV)
પિતર બહાર ચોકમાં બેઠો હતો ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું, “તું પણ ગાલીલના ઈસુ સાથે હતો.”
માથ્થી 26 : 70 (GUV)
પણ તેણે સહુની આગળ નકાર કરીને કહ્યું, “તું શું કહે છે તે હું જાણતો નથી.”
માથ્થી 26 : 71 (GUV)
અને તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું, “એ પણ ઈસુ નાઝારીની જોડે હતો.”
માથ્થી 26 : 72 (GUV)
પણ તેણે સમ ખાઈને ફરીથી નકાર કર્યો કે, ‘તે માણસને હું ઓળખતો નથી.’
માથ્થી 26 : 73 (GUV)
અને થોડી વાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું, “ખરેખર તું પણ તેઓમાંનો છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાઈ આવે છે.”
માથ્થી 26 : 74 (GUV)
ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, ‘હું તે માણસને ઓળખતો નથી.’ અને તરત જ મરઘો બોલ્યો.
માથ્થી 26 : 75 (GUV)
અને જે વાત ઈસુએ પિતરને કહી હતી, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, ” તે તેને યાદ આવી; અને બહાર જઈને તે બહુ રડ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75

BG:

Opacity:

Color:


Size:


Font: