એસ્તેર 10 : 1 (GUV)
અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના બેટો ઉપર કર નાખ્યો.
એસ્તેર 10 : 2 (GUV)
તેના પરાક્રમનાં તથા તેના સામર્થ્યનાં સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેનો સંપૂર્ણ હેવાલ માદાયના તથા ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલો છે.
એસ્તેર 10 : 3 (GUV)
કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો, તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો; કારણ કે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.

1 2 3

BG:

Opacity:

Color:


Size:


Font: