1 કરિંથીઓને 8 : 1 (GUV)
હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે.
1 કરિંથીઓને 8 : 2 (GUV)
જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.
1 કરિંથીઓને 8 : 3 (GUV)
પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.
1 કરિંથીઓને 8 : 4 (GUV)
મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.
1 કરિંથીઓને 8 : 5 (GUV)
કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે (અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે);
1 કરિંથીઓને 8 : 6 (GUV)
તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.
1 કરિંથીઓને 8 : 7 (GUV)
પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ તરીકે તે ખાય છે. અને તેઓનું અંત:કરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.
1 કરિંથીઓને 8 : 8 (GUV)
પંણ ખોરાકથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી:જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી; અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી.
1 કરિંથીઓને 8 : 9 (GUV)
પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.
1 કરિંથીઓને 8 : 10 (GUV)
કેમ કે તારા જેવા જ્ઞાનીને જો કોઈ નિર્બળ [અંત:કરણવાળો] માણસ મૂર્તિના મંદિરમાં બેસીને ખાતો જુએ, તો શું તેનું અંત:કરણ મૂર્તિઓનું નૈવેદ ખાવાની હિંમત ન કરે?
1 કરિંથીઓને 8 : 11 (GUV)
એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મર્યા તેનો નાશ થાય.
1 કરિંથીઓને 8 : 12 (GUV)
અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંત:કરણોમાં આઘાત કરીને, તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.
1 કરિંથીઓને 8 : 13 (GUV)
તેથી જો ખાવા [ની વસ્તુ] થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: