રોમનોને પત્ર 9 : 1 (GUV)
હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે,
રોમનોને પત્ર 9 : 2 (GUV)
મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે.
રોમનોને પત્ર 9 : 3 (GUV)
કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.
રોમનોને પત્ર 9 : 4 (GUV)
તેઓ ઇઝરાયલી છે, અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્‍ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.
રોમનોને પત્ર 9 : 5 (GUV)
ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તે સર્વકાળ સર્વોપરી, સ્તુત્ય ઈશ્વર છે. આમીન.
રોમનોને પત્ર 9 : 6 (GUV)
પણ ઈશ્વરની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના [વંશજો] છે તેઓ સર્વ ઇઝરાયલી નથી.
રોમનોને પત્ર 9 : 7 (GUV)
તેમ જ તેઓ ઇબ્રાહિમના વંશજો છે તેથી તેઓ સર્વ [તેનાં] છોકરાં છે, એમ પણ નથી! પણ [લખેલું છે કે,] ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’
રોમનોને પત્ર 9 : 8 (GUV)
એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ ઈશ્વરનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે.
રોમનોને પત્ર 9 : 9 (GUV)
કેમ કે વચન તો આવું છે, “આ સમયે હું આવીશ, અને સારાને દીકરો થશે.”
રોમનોને પત્ર 9 : 10 (GUV)
માત્ર એટલું જ નહિ; પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પૂર્વજ ઇસહાકથી ગર્ભ ધર્યો,
રોમનોને પત્ર 9 : 11 (GUV)
અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે,
રોમનોને પત્ર 9 : 12 (GUV)
માટે તેને કહેવામાં આવ્યું, “વડો નાનાની‍ ચાકરી કરશે.”
રોમનોને પત્ર 9 : 13 (GUV)
વળી, એમ પણ લખેલું છે, મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિકકાર કર્યો.’
રોમનોને પત્ર 9 : 14 (GUV)
તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાઓ.
રોમનોને પત્ર 9 : 15 (GUV)
કેમ કે તે મૂસાને કહે છે, “જેના ઉપર હું દયા કરવા [ચાહું], તેના ઉપર હું દયા કરીશ; અને જેના ઉપર હું કરુણા કરવા [ચાહું], તેના ઉપર હું કરુણા કરીશ.”
રોમનોને પત્ર 9 : 16 (GUV)
માટે એ તો ઇચ્છનારથી નહિ, અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઇશ્વરથી થાય છે.
રોમનોને પત્ર 9 : 17 (GUV)
વળી શાસ્‍ત્રવચન ફારુનને કહે છે, “તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.”
રોમનોને પત્ર 9 : 18 (GUV)
માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.
રોમનોને પત્ર 9 : 19 (GUV)
તો તું મને પૂછશે, “તેમ છે તો તે દોષ કેમ કાઢે છે? કેમ કે તેમના સંકલ્પને કોણ અટકાવે છે?”
રોમનોને પત્ર 9 : 20 (GUV)
પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?”
રોમનોને પત્ર 9 : 21 (GUV)
શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?
રોમનોને પત્ર 9 : 22 (GUV)
અને જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને યોગ્ય થયેલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.
રોમનોને પત્ર 9 : 23 (GUV)
અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,
રોમનોને પત્ર 9 : 24 (GUV)
એટલે આપણા પર જેઓને તેમણે કેવળ યહૂદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડયા છે [તેઓ પર], પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેમની મરજી હતી તો તેમાં શું [ખોટું]?
રોમનોને પત્ર 9 : 25 (GUV)
વળી, હોશિયામાં પણ તે એમ જ કહે છે, ‘જે મારી પ્રજા નહોતી તેને હું મારી પ્રજા, અને જે વહાલી ન હતી તેને હું વહાલી કહીશ.’
રોમનોને પત્ર 9 : 26 (GUV)
અને જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું, ‘તમે મારી પ્રજા નથી.’ તે સ્થળે તેઓ જીવતા ઈશ્વરના દીકરા કહેવાશે.
રોમનોને પત્ર 9 : 27 (GUV)
વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.
રોમનોને પત્ર 9 : 28 (GUV)
કેમ કે પ્રભુ પોતાનું વચન પૂર્ણ કરશે, અને ટૂંકમાં પતાવીને તેને પૃથ્વી પર અમલમાં લાવશે.”
રોમનોને પત્ર 9 : 29 (GUV)
એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”
રોમનોને પત્ર 9 : 30 (GUV)
તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.
રોમનોને પત્ર 9 : 31 (GUV)
પણ જેથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇઝરાયલ તે નિયમને પહોંચી શક્યા નહિ.
રોમનોને પત્ર 9 : 32 (GUV)
શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા], તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.
રોમનોને પત્ર 9 : 33 (GUV)
લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: