પ્રેરિતોનાં ક્રત્યો 1 : 1 (GUV)
ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી,
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 2 (GUV)
અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબત વિશે, ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 3 (GUV)
મરણ સહ્યા પછી તેમણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને ચાળીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતા, અને ઈશ્વરના રાજ્ય વિષેની વાતો કહેતા રહ્યા;
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 4 (GUV)
તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો;
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 5 (GUV)
કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 6 (GUV)
હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછયું, “પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?”
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 7 (GUV)
તેમણે તેઓને કહ્યું, “જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 8 (GUV)
પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 9 (GUV)
એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતાં તેમને ઉપર લઈ જવામાં આવ્યા; અને વાદળોએ તેઓની દષ્ટિથી તેમને ઢાંકી દીધા.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 10 (GUV)
તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં શ્વેત વસ્‍ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસ ઊભા રહેલા હતા;
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 11 (GUV)
તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ [પાછા] આવશે.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 12 (GUV)
વિશ્રામવારની મુસાફરી જેટલે છેટે યરુશાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 13 (GUV)
ત્યાં આવ્યા પછી જે મેડી [પર] તેઓ રહેતા, ત્યાં તેઓ ઉપર ગયા; એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ તથા થોમા, બાર્થોલ્મી તથા માથ્થી, અલ્ફીનો [દીકરો] યાકૂબ તથા સિમોન ઝલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 14 (GUV)
એ સર્વ સ્‍ત્રીઓ સહિત, તથા ઈસુની મા મરિયમ અને તેમના ભાઈઓ એકચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 15 (GUV)
તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું,
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 16 (GUV)
“ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને રસ્તો બતાવનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્‍ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 17 (GUV)
કેમ કે આપણામાં તે ગણાયો હતો, અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 18 (GUV)
(હવે એ માણસે પોતાની દુષ્ટતાના [બદલામાં મળેલા] દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો, ને તેનાં બધાં આંતરડાં નીકળી પડયાં.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 19 (GUV)
યરુશાલેમના સર્વ રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં ‘હકેલ્દમા’ એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.)
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 20 (GUV)
કેમ કે ગીતશાસ્‍ત્રમાં લખેલું છે, “તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે, ” અને “તેનું અધ્યક્ષપદ બીજો લે.”
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 21 (GUV)
માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કરી,
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 22 (GUV)
તે સર્વ વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેમના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 23 (GUV)
ત્યારે યૂસફ જે બાર્સાબાસ કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તે, તથા માથ્થીયસ, એ બેને તેઓએ રજૂ કર્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 24 (GUV)
તેઓએ પ્રાર્થના કરી, “હે અંતર્યામી પ્રભુ,
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 25 (GUV)
જે સેવા તથા પ્રેરિતપદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો, તેની જગા પૂરવાને આ બેમાંથી કોને તમે પસંદ કર્યો છે તે અમને બતાવો.”
પ્રેરિતોનાં ક્રત્યો 1 : 26 (GUV)
પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્થીયસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: