માથ્થી 15 : 1 (GUV)
તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્‍ત્રીઓ ઈસુની પાસે આવ્યા ને કહ્યું,
માથ્થી 15 : 2 (GUV)
“તમારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.”
માથ્થી 15 : 3 (GUV)
પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?
માથ્થી 15 : 4 (GUV)
કેમ કે ઈશ્વરે ક્હ્યું છે, તું તારા પિતાનું તથા તારાં માનું સન્માન કર, ને જે કોઈ પિતાની અથવા માની નિંદા કરે તે જાનથી માર્યો જાય.’
માથ્થી 15 : 5 (GUV)
પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;
માથ્થી 15 : 6 (GUV)
તો તે ભલે પોતાના પિતાનું કે પોતાનાં માનું સન્માન ન કરે, ’ એમ તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે.
માથ્થી 15 : 7 (GUV)
ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે,
માથ્થી 15 : 8 (GUV)
‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે.
માથ્થી 15 : 9 (GUV)
અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
માથ્થી 15 : 10 (GUV)
પછી તેમણે લોકોને પાસે બોલાવીને કહ્યું, “સાંભળો તથા સમજો.
માથ્થી 15 : 11 (GUV)
મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.”
માથ્થી 15 : 12 (GUV)
ત્યારે તેમના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું “આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, એ શું તમે જાણો છો?”
માથ્થી 15 : 13 (GUV)
પણ તેમણે ઉત્તર આપ્યો, “જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.
માથ્થી 15 : 14 (GUV)
તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.”
માથ્થી 15 : 15 (GUV)
ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “આ દ્દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.”
માથ્થી 15 : 16 (GUV)
અને તેમણે કહ્યું, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો?
માથ્થી 15 : 17 (GUV)
શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે, તે પેટમાં જાય છે, ને સંડાસમાં નીકળી જાય છે?
માથ્થી 15 : 18 (GUV)
પણ જે મોંમાંથી નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, ને તે જ માણસને વટાળે છે.
માથ્થી 15 : 19 (GUV)
કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.
માથ્થી 15 : 20 (GUV)
માણસને જે વટાળે છે તે એ જ છે. પણ અણધોયેલે હાથે ખાવું એ માણસને વટાળતું નથી.”
માથ્થી 15 : 21 (GUV)
એ પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયા.
માથ્થી 15 : 22 (GUV)
અને એક કનાની સ્‍ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેમને કહ્યું, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો, મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.”
માથ્થી 15 : 23 (GUV)
પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, “આ સ્‍ત્રીને વિદાય કરો. કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે.”
માથ્થી 15 : 24 (GUV)
પણ ઈસુએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી.”
માથ્થી 15 : 25 (GUV)
એટલે સ્‍ત્રીએ આવીને તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, મને મદદ કરો.”
માથ્થી 15 : 26 (GUV)
પણ તેમણે ઉત્તર વાળ્યો, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી વાજબી નથી.”
માથ્થી 15 : 27 (GUV)
પણ સ્રીએ કહ્યું, “ખરું, પ્રભુ, કેમ કે કૂતરાં તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”
માથ્થી 15 : 28 (GUV)
ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ, ” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ.
માથ્થી 15 : 29 (GUV)
ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા.
માથ્થી 15 : 30 (GUV)
અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં.
માથ્થી 15 : 31 (GUV)
જ્યારે લોકોએ જોયું કે મૂંગાંઓ બોલતા થયાં છે, અપંગો સાજાં થયાં છે, લૂલાંઓ ચાલતાં થયાં છે અને આંધળાઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઇઝરાયલના ઈશ્ચરની તેઓએ સ્તુતિ કરી.
માથ્થી 15 : 32 (GUV)
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આજે ત્રણ દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યાં વિદાય કરવાને હું નથી ચાહતો, રખેને વાટમાં તેઓ થાકી જાય.”
માથ્થી 15 : 33 (GUV)
શિષ્યો તેમને કહે છે, “આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ?”
માથ્થી 15 : 34 (GUV)
ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું, સાત, ને થોડીએક નાની માછલી છે.”
માથ્થી 15 : 35 (GUV)
ત્યારે તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
માથ્થી 15 : 36 (GUV)
અને તે સાત રોટલી તથા માછલી લઈ તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી.
માથ્થી 15 : 37 (GUV)
અને બધાં ખાઈને તૃપ્ત થયાં. પછી છાંડેલા કકડાઓની તેઓએ સાત ટોપલી ભરી.
માથ્થી 15 : 38 (GUV)
અને જેઓએ ખાધું તેઓ સ્‍ત્રીછોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
માથ્થી 15 : 39 (GUV)
અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે મગદાનની સીમમાં આવ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

BG:

Opacity:

Color:


Size:


Font: