ઝખાર્યા 4 : 1 (GUV)
મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો.
ઝખાર્યા 4 : 2 (GUV)
તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.
ઝખાર્યા 4 : 3 (GUV)
અને તેની પાસે બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ [છે].”
ઝખાર્યા 4 : 4 (GUV)
પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “મારા મુરબ્બી, તેઓ શું છે?”
ઝખાર્યા 4 : 5 (GUV)
ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
ઝખાર્યા 4 : 6 (GUV)
ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.
ઝખાર્યા 4 : 7 (GUV)
હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે]; અને ‘તેને કૃપા [થાઓ], કૃપા [થાઓ], ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.
ઝખાર્યા 4 : 8 (GUV)
વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે,
ઝખાર્યા 4 : 9 (GUV)
ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.
ઝખાર્યા 4 : 10 (GUV)
કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.
ઝખાર્યા 4 : 11 (GUV)
પછી મેં દૂતને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તેઓ શું છે?”
ઝખાર્યા 4 : 12 (GUV)
વળી ફરી મેં તેને પૂછયું, “જૈતવૃક્ષની “આ બે ડાળીઓ કે, જે સોનાની બે નળીઓ વડે પોતામાંથી સોનેરી [તેલ] નિગાળે છે, તેઓ શું હશે?”
ઝખાર્યા 4 : 13 (GUV)
તેણે મને ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
ઝખાર્યા 4 : 14 (GUV)
ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: