યશાયા 23 : 1 (GUV)
તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.
યશાયા 23 : 2 (GUV)
હે બેટવાસીઓ, છાના રહો! સમુદ્ર પર પર્યટન કરનારા સિદોનના વેપારીઓએ તેમને સમૃદ્ધ કર્યા; [તમે છાના રહો].
યશાયા 23 : 3 (GUV)
જળનિધિ પર શીહોરનું બીજ તથા નીલ નદીની પેદાશ તેની આવક હતી; અને તે વિદેશીઓનું બજાર હતો.
યશાયા 23 : 4 (GUV)
હે સિદોન, તું લજિજત થા, કેમ કે સમુદ્ર, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, “હું પ્રસવવેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.”
યશાયા 23 : 5 (GUV)
મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને ખેદ પામશે.
યશાયા 23 : 6 (GUV)
[સમુદ્ર] ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો.
યશાયા 23 : 7 (GUV)
જેની પ્રાચીનતા પુરાતન છે, ને જેના પગ પ્રવાસ કરવા મટે તેને દૂર લઈ જતા તે શું આ તમારી આનંદી નગરી છે?
યશાયા 23 : 8 (GUV)
[અન્યોને] મુગટ પહેરાવનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે ઠરાવ્યું છે?
યશાયા 23 : 9 (GUV)
સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે.
યશાયા 23 : 10 (GUV)
હે તાર્શીશની દીકરી, નાઈલ નદીની જેમ તારા દેશમાં ઊભરાઈ જા; હવે પછી તને પટો બાંધેલો નથી.
યશાયા 23 : 11 (GUV)
પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
યશાયા 23 : 12 (GUV)
તેમણે કહ્યું, “જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
યશાયા 23 : 13 (GUV)
જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.
યશાયા 23 : 14 (GUV)
હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે.
યશાયા 23 : 15 (GUV)
તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર વિસારે પડી જશે; તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાને થશે.
યશાયા 23 : 16 (GUV)
હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે.
યશાયા 23 : 17 (GUV)
સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે.
યશાયા 23 : 18 (GUV)
પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મુકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે કે, તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: