નીતિવચનો 29 : 1 (GUV)
જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.
નીતિવચનો 29 : 2 (GUV)
નેકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે; પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે.
નીતિવચનો 29 : 3 (GUV)
જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે તે [પોતાની] સંપત્તિ ઉડાવી દે છે.
નીતિવચનો 29 : 4 (GUV)
રાજા ન્યાયથી દેશને સ્થિર કરે છે; પણ લાંચ લેનાર તેને પાયમાલ કરે છે.
નીતિવચનો 29 : 5 (GUV)
જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે, તે તેનાં પગલાંને માટે જાળ પાથરે છે.
નીતિવચનો 29 : 6 (GUV)
દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે; પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે.
નીતિવચનો 29 : 7 (GUV)
નેક માણસ ગરીબના દાવા પર ધ્યાન આપે છે; દુષ્ટ માણસ [તે] જાણવાની દરકાર પણ કરતો નથી
નીતિવચનો 29 : 8 (GUV)
તિરસ્કાર કરનાર માણસો નગર સળગાવે છે; પણ ડાહ્યા માણસો ક્રોધનું નિવારણ કરે છે.
નીતિવચનો 29 : 9 (GUV)
જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદવિવાદમાં ઊતરે, ગમે તો તે ગુસ્‍સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.
નીતિવચનો 29 : 10 (GUV)
લોહીના તરસ્યા માણસો સદાચારીના વૈરી છે; તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.
નીતિવચનો 29 : 11 (GUV)
મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.
નીતિવચનો 29 : 12 (GUV)
જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે તો તેના સર્વ સેવકો દુષ્ટ થઈ જાય છે.
નીતિવચનો 29 : 13 (GUV)
ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે; તે બન્‍નેની આંખોને યહોવા પ્રકાશ આપે છે.
નીતિવચનો 29 : 14 (GUV)
જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું તખ્ત સદાને માટે સ્થિર રહેશે.
નીતિવચનો 29 : 15 (GUV)
સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને બદનામ કરે છે.
નીતિવચનો 29 : 16 (GUV)
દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે ગુનાઓ વધી જાય છે; પણ નેક પુરુષો તેઓની દુર્દશા જોશે.
નીતિવચનો 29 : 17 (GUV)
તારા દીકરાને શિક્ષા કરશે, તો તો તને નિરાંત આપશે; તે તારા મનને આનંદ આપશે.
નીતિવચનો 29 : 18 (GUV)
જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક સર્વ મર્યાદા છોડી દે છે; પણ નિયમ પાળનારને ધન્ય છે.
નીતિવચનો 29 : 19 (GUV)
એકલા શબ્દોથી ચાકરને શિક્ષા લાગતી નથી; જો કે તે સમજશે તોપણ તે ગણકારશે નહિ.
નીતિવચનો 29 : 20 (GUV)
જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે, તો [તારે જાણવું કે] તેના કરતાં કોઈ મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય.
નીતિવચનો 29 : 21 (GUV)
જે માણસ પોતાના ચાકરને બાળપણથી લાડમાં ઉછેરે છે, આખરે તે તેનો દીકરો થઈ બેસશે.
નીતિવચનો 29 : 22 (GUV)
ક્રોધી માણસ કજિયો સળગાવે છે, અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે.
નીતિવચનો 29 : 23 (GUV)
માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.
નીતિવચનો 29 : 24 (GUV)
ચોરનો ભાગીદાર પોતાના જ જીવનો વૈરી છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.
નીતિવચનો 29 : 25 (GUV)
માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.
નીતિવચનો 29 : 26 (GUV)
ઘણા માણસો હાકેમની કૃપા શોધે છે; પણ માણસનો ઇનસાફ યહોવા પાસે છે.
નીતિવચનો 29 : 27 (GUV)
અન્યાયી માણસ નેકીવાનને કંટાળારૂપ છે; અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: