નીતિવચનો 24 : 1 (GUV)
દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, અને તેમની સાથે રહેવાની ઇચ્છા ન કર.
નીતિવચનો 24 : 2 (GUV)
કેમ કે તેમનું હ્રદય જુલમ કરવાને સંકલ્પવિકલ્પ કર્યા કરે છે, અને તેમના હોઠ ઉપદ્રવની વાત કરે છે.
નીતિવચનો 24 : 3 (GUV)
જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિ વડે તે સ્થિર થાય છે;
નીતિવચનો 24 : 4 (GUV)
અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.
નીતિવચનો 24 : 5 (GUV)
જ્ઞાની માણસ સમર્થ છે; હા, વિદ્વાન માણસ [પોતાની] શક્તિ વધારે છે.
નીતિવચનો 24 : 6 (GUV)
કારણ કે ચતુર [માણસની] સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે; અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
નીતિવચનો 24 : 7 (GUV)
જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે પોતાનું મોઢું ભાગળમાં ઉઘાડતો નથી.
નીતિવચનો 24 : 8 (GUV)
જે ભૂંડું કરવાને યુક્તિઓ રચે છે, તેને લોકો હાનિકારક પુરુષ કહેશે.
નીતિવચનો 24 : 9 (GUV)
મૂર્ખનો વિચાર પાપી હોય છે; અને તિરસ્કાર કરનાર માણસથી લોકો કંટાળે છે.
નીતિવચનો 24 : 10 (GUV)
જો તું સંકટને દિવસે નાહિમ્‍મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.
નીતિવચનો 24 : 11 (GUV)
જેઓને મોતમાં ઘસડી લઈ જવામાં આવે છે તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.
નીતિવચનો 24 : 12 (GUV)
જો તું કહે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની તુલના કરે છે તે તેનો વિચાર શું કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે. તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?
નીતિવચનો 24 : 13 (GUV)
મારા દીકરા, તું મધ ખા, કેમ કે તે સારું છે; અને મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે;
નીતિવચનો 24 : 14 (GUV)
જ્ઞાન પણ તારા આત્માને એવું જ લાગે છે, એ તું જાણશે? જો તને તે મળ્યું હોય, ત્યારે તો તને તેનું પ્રતિફળ મળશે, અને તારી આશા રદ જશે નહિ.
નીતિવચનો 24 : 15 (GUV)
હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;
નીતિવચનો 24 : 16 (GUV)
કેમ કે નેક માણસ સાત વાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.
નીતિવચનો 24 : 17 (GUV)
તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હ્રદયમાં તું મગ્ન થતો નહિ;
નીતિવચનો 24 : 18 (GUV)
રખેને યહોવા તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય, અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે.
નીતિવચનો 24 : 19 (GUV)
દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ; અને દુષ્ટોની અદેખાઈ ન કર;
નીતિવચનો 24 : 20 (GUV)
કેમ કે દુષ્ટ માણસને કંઈ પ્રતિફળ મળવાનું નથી! દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે.
નીતિવચનો 24 : 21 (GUV)
મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ;
નીતિવચનો 24 : 22 (GUV)
કેમ કે તેમના પર વિપત્તિ ઓચિંતી આવી પડશે; તે બન્‍નેના [તરફથી આવતા] વિનાશની ખબર કોને છે?
નીતિવચનો 24 : 23 (GUV)
આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે. ઇનસાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.
નીતિવચનો 24 : 24 (GUV)
જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે;” તેને લોકો શાપ આપશે, અને તેનાથી પ્રજાઓ કંટાળી જશે;
નીતિવચનો 24 : 25 (GUV)
પણ તેને ધમકાવનારાઓને આનંદ થશે, અને તેમના ઉપર ઘણો આશીર્વાદ આવશે.
નીતિવચનો 24 : 26 (GUV)
જે સત્ય ઉત્તર આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.
નીતિવચનો 24 : 27 (GUV)
તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતર [નું કામ] તૈયાર કર; અને ત્યાર પછી તારું ઘર બાંધ.
નીતિવચનો 24 : 28 (GUV)
વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર; અને તારા હોઠોથી ઠગાઈ ન કર.
નીતિવચનો 24 : 29 (GUV)
“જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ” એમ તું ન કહે; તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.
નીતિવચનો 24 : 30 (GUV)
હું આળસુના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષાવાડી પાસે થઈને જતો હતો;
નીતિવચનો 24 : 31 (GUV)
મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, તેની સપાટી ગોખરુઓથી ઢંકાઈ ગયેલી હતી, અને તેની પથ્થરની ભીંત તૂટી પડેલી હતી.
નીતિવચનો 24 : 32 (GUV)
તે પર મેં સારી રીતે વિચાર કર્યો; હું સમજ્યો, અને મને શિખામણ મળી.
નીતિવચનો 24 : 33 (GUV)
હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ [લેવા દો], થોડીક વાર હાથ વાળીને સૂવા દો;
નીતિવચનો 24 : 34 (GUV)
એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચઢી આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: