નીતિવચનો 15 : 1 (GUV)
નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;
નીતિવચનો 15 : 2 (GUV)
જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.
નીતિવચનો 15 : 3 (GUV)
યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.
નીતિવચનો 15 : 4 (GUV)
નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.
નીતિવચનો 15 : 5 (GUV)
મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે; પણ ઠપકાને લક્ષમાં લેનાર શાણો થાય છે.
નીતિવચનો 15 : 6 (GUV)
નેકીવાનના ઘરમાં ધનનો ભંડાર છે; પણ દુષ્ટની પેદાશમાં સંકટ છે.
નીતિવચનો 15 : 7 (GUV)
જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.
નીતિવચનો 15 : 8 (GUV)
દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.
નીતિવચનો 15 : 9 (GUV)
દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે; પણ નેકીને અનુસરનાર પર તે પ્રેમ કરે છે.
નીતિવચનો 15 : 10 (GUV)
માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.
નીતિવચનો 15 : 11 (GUV)
શેઓલ તથા અબદોન [વિનાશ] યહોવાની આગળ [ખુલ્લાં] છે; તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ [ખુલ્‍લાં હોવાં જોઈએ]!
નીતિવચનો 15 : 12 (GUV)
તિરસ્કાર કરનાર ઠપકો ખમવા ચાહતો નથી; તે જ્ઞાનીની પાસે પણ જવા ઇચ્છતો નથી;
નીતિવચનો 15 : 13 (GUV)
અંત:કરણનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે; પણ હ્રદયના ખેદથી મન ભાંગી જાય છે.
નીતિવચનો 15 : 14 (GUV)
બુદ્ધિમાનનું અંત:કરણ ડહાપણ શોધે છે; પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો આહાર કરે છે.
નીતિવચનો 15 : 15 (GUV)
વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંત:કરણવાળાને સદા મિજબાની છે.
નીતિવચનો 15 : 16 (GUV)
ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય, તેના કરતાં, થોડું [ધન] હોય પણ તે સાથે યહોવાનું ભય હોય, તો તે ઉત્તમ છે.
નીતિવચનો 15 : 17 (GUV)
વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી જનને ત્યાં ભાજીનું [ભોજન] ઉત્તમ છે.
નીતિવચનો 15 : 18 (GUV)
ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.
નીતિવચનો 15 : 19 (GUV)
આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે; પણ પ્રામાણિકનો પંથ સડક જેવો [સરળ] છે.
નીતિવચનો 15 : 20 (GUV)
ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે; પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે.
નીતિવચનો 15 : 21 (GUV)
અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ પોતાની વર્તણૂક સીધી રાખે છે.
નીતિવચનો 15 : 22 (GUV)
સલાહ [લીધા] વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.
નીતિવચનો 15 : 23 (GUV)
પોતાને મુખે આપેલા [યોગ્ય] ઉત્તરથી માણસને આનંદ થાય છે; અને વખતસર [બોલેલો] શબ્દ કેવો સારો છે!
નીતિવચનો 15 : 24 (GUV)
જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને જીવનમાં પહોંચાડે છે, તે નીચેના શેઓલથી દૂર જાય છે.
નીતિવચનો 15 : 25 (GUV)
યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
નીતિવચનો 15 : 26 (GUV)
દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે; પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે.
નીતિવચનો 15 : 27 (GUV)
દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.
નીતિવચનો 15 : 28 (GUV)
સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે.
નીતિવચનો 15 : 29 (GUV)
યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
નીતિવચનો 15 : 30 (GUV)
આંખોના અજવાળાથી અંત:કરણને આનંદ થાય છે; અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ કરે છે.
નીતિવચનો 15 : 31 (GUV)
જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.
નીતિવચનો 15 : 32 (GUV)
શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
નીતિવચનો 15 : 33 (GUV)
યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે; પહેલી દીનતા છે ને પછી માન છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: