નીતિવચનો 11 : 1 (GUV)
ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.
નીતિવચનો 11 : 2 (GUV)
અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.
નીતિવચનો 11 : 3 (GUV)
પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.
નીતિવચનો 11 : 4 (GUV)
કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
નીતિવચનો 11 : 5 (GUV)
યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.
નીતિવચનો 11 : 6 (GUV)
પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે.
નીતિવચનો 11 : 7 (GUV)
દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુસમયે નાશ પામશે; અને અન્યાયીની આશા નાશ પામે છે.
નીતિવચનો 11 : 8 (GUV)
સદાચારીને સંકટમાંથી છૂટો કરવામાં આવે છે, અને તેને સ્થાને દુષ્ટ આવે છે.
નીતિવચનો 11 : 9 (GUV)
અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.
નીતિવચનો 11 : 10 (GUV)
નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
નીતિવચનો 11 : 11 (GUV)
પ્રામાણિકની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે.
નીતિવચનો 11 : 12 (GUV)
પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે; પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે.
નીતિવચનો 11 : 13 (GUV)
સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે.
નીતિવચનો 11 : 14 (GUV)
જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
નીતિવચનો 11 : 15 (GUV)
પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે.
નીતિવચનો 11 : 16 (GUV)
સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
નીતિવચનો 11 : 17 (GUV)
દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
નીતિવચનો 11 : 18 (GUV)
દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].
નીતિવચનો 11 : 19 (GUV)
જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન [સંપાદન કરે છે]; પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત [લાવે છે].
નીતિવચનો 11 : 20 (GUV)
વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.
નીતિવચનો 11 : 21 (GUV)
ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.
નીતિવચનો 11 : 22 (GUV)
જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્‍ત્રીની સુંદરતા છે.
નીતિવચનો 11 : 23 (GUV)
નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.
નીતિવચનો 11 : 24 (GUV)
એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.
નીતિવચનો 11 : 25 (GUV)
ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.
નીતિવચનો 11 : 26 (GUV)
અનાજ સંઘરી રાખનારને લોક શાપ આપશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે.
નીતિવચનો 11 : 27 (GUV)
ખંતથી હિત શોધનારને [ઇશ્વરની] કૃપા મળે છે; પણ જે નુકસાન શોધે છે, તેના પર તે જ આવી પડશે.
નીતિવચનો 11 : 28 (GUV)
પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.
નીતિવચનો 11 : 29 (GUV)
જે પોતાના જ ઘરનાંને દુ:ખ આપે છે, તેને પવનનો વારસો મળશે; અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે.
નીતિવચનો 11 : 30 (GUV)
નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.
નીતિવચનો 11 : 31 (GUV)
નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે]!

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: