નિર્ગમન 20 : 1 (GUV)
અને ઇશ્વરે આ સર્વ વચનો બોલતાં કહ્યું,
નિર્ગમન 20 : 2 (GUV)
“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.
નિર્ગમન 20 : 3 (GUV)
મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.
નિર્ગમન 20 : 4 (GUV)
તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર.
નિર્ગમન 20 : 5 (GUV)
તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,
નિર્ગમન 20 : 6 (GUV)
ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું.
નિર્ગમન 20 : 7 (GUV)
તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.
નિર્ગમન 20 : 8 (GUV)
સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.
નિર્ગમન 20 : 9 (GUV)
છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર;
નિર્ગમન 20 : 10 (GUV)
પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી;
નિર્ગમન 20 : 11 (GUV)
કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.
નિર્ગમન 20 : 12 (GUV)
તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.
નિર્ગમન 20 : 13 (GUV)
તું ખૂન ન કર.
નિર્ગમન 20 : 14 (GUV)
તું વ્યભિચાર ન કર.
નિર્ગમન 20 : 15 (GUV)
તું ચોરી ન કર.
નિર્ગમન 20 : 16 (GUV)
તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
નિર્ગમન 20 : 17 (GUV)
તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.”
નિર્ગમન 20 : 18 (GUV)
અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા.
નિર્ગમન 20 : 19 (GUV)
અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.”
નિર્ગમન 20 : 20 (GUV)
અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”
નિર્ગમન 20 : 21 (GUV)
અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો.
નિર્ગમન 20 : 22 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે.
નિર્ગમન 20 : 23 (GUV)
મારી આગળ તમારે કોઈ [અન્ય દેવો] કરવા નહિ. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ.
નિર્ગમન 20 : 24 (GUV)
મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ.
નિર્ગમન 20 : 25 (GUV)
અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે.
નિર્ગમન 20 : 26 (GUV)
તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: