ગીતશાસ્ત્ર 34 : 1 (GUV)
દાઉદનું [ગીત]; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
ગીતશાસ્ત્ર 34 : 2 (GUV)
મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે.
ગીતશાસ્ત્ર 34 : 3 (GUV)
મારી સાથે યહોવાને મોટા માનો, અને આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
ગીતશાસ્ત્ર 34 : 4 (GUV)
મેં યહોવાનો શોધ કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.
ગીતશાસ્ત્ર 34 : 5 (GUV)
તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો; એટલે તમારાં મુખ કદી ઝંખવાણાં પડશે નહિ.
ગીતશાસ્ત્ર 34 : 6 (GUV)
આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાએ તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.
ગીતશાસ્ત્ર 34 : 7 (GUV)
યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.
ગીતશાસ્ત્ર 34 : 8 (GUV)
અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 34 : 9 (GUV)
યહોવાના સંતો, તેમનું ભય રાખો; કેમ કે તેમનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
ગીતશાસ્ત્ર 34 : 10 (GUV)
સિંહનાં બચ્ચાંને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહિ.
ગીતશાસ્ત્ર 34 : 11 (GUV)
આવો, દીકરાઓ, મારું સાંભળો; હું તમને યહોવાનું ભય રાખતાં શીખવીશ.
ગીતશાસ્ત્ર 34 : 12 (GUV)
કયો માણસ [લાંબી] જિંદગી ઇચ્છે છે? તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
ગીતશાસ્ત્ર 34 : 13 (GUV)
તો ભૂંડું [બોલવા] થી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ.
ગીતશાસ્ત્ર 34 : 14 (GUV)
ભૂંડાથી દૂર થા, અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
ગીતશાસ્ત્ર 34 : 15 (GUV)
ન્યાયીઓ પર યહોવાની કૃપાદષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન [ઉઘાડા] છે.
ગીતશાસ્ત્ર 34 : 16 (GUV)
જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે.
ગીતશાસ્ત્ર 34 : 17 (GUV)
[ન્યાયીઓએ] પોકાર કર્યો, અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા.
ગીતશાસ્ત્ર 34 : 18 (GUV)
આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.
ગીતશાસ્ત્ર 34 : 19 (GUV)
ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.
ગીતશાસ્ત્ર 34 : 20 (GUV)
તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.
ગીતશાસ્ત્ર 34 : 21 (GUV)
દુષ્ટોનો સંહાર પોતાની ભૂંડાઈથી થશે; અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
ગીતશાસ્ત્ર 34 : 22 (GUV)
યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેમના પર ભરોસો રાખનારાઓમાંથી એકે દોષિત ઠરશે નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: