ગીતશાસ્ત્ર 112 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે, અને તેમની આજ્ઞાઓ [પાળવા] માં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 112 : 2 (GUV)
તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે.
ગીતશાસ્ત્ર 112 : 3 (GUV)
તેના ઘરમાં ધનદોલત થશે; અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે.
ગીતશાસ્ત્ર 112 : 4 (GUV)
યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.
ગીતશાસ્ત્ર 112 : 5 (GUV)
જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.
ગીતશાસ્ત્ર 112 : 6 (GUV)
કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.
ગીતશાસ્ત્ર 112 : 7 (GUV)
તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.
ગીતશાસ્ત્ર 112 : 8 (GUV)
તેનું અંત:કરણ સ્થિર‍ છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.
ગીતશાસ્ત્ર 112 : 9 (GUV)
તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.
ગીતશાસ્ત્ર 112 : 10 (GUV)
એ જોઈને દુષ્ટોને સંતાપ થશે. તેઓ પોતાના દાંત પીસશે, અને સુકાઈ જશે; એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: