ગીતશાસ્ત્ર 103 : 1 (GUV)
દાઉદનું [ગીત] હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન; મારા ખરા અંત:કરણ તેમના પવિત્ર નામને [સ્તુત્ય માન].
ગીતશાસ્ત્ર 103 : 2 (GUV)
રે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
ગીતશાસ્ત્ર 103 : 3 (GUV)
તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
ગીતશાસ્ત્ર 103 : 4 (GUV)
તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે.
ગીતશાસ્ત્ર 103 : 5 (GUV)
તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
ગીતશાસ્ત્ર 103 : 6 (GUV)
તેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને માટે યહોવા ન્યાયનાં કૃત્ય તથા ચુકાદા કરે છે.
ગીતશાસ્ત્ર 103 : 7 (GUV)
તેમણે પોતાના માર્ગ મૂસાને, તથા પોતાનાં કૃત્યો ઇઝરાયલ પુત્રોને જણાવ્યાં.
ગીતશાસ્ત્ર 103 : 8 (GUV)
યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે.
ગીતશાસ્ત્ર 103 : 9 (GUV)
તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ [કોપ] રાખશે નહિ;
ગીતશાસ્ત્ર 103 : 10 (GUV)
તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
ગીતશાસ્ત્ર 103 : 11 (GUV)
કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે.
ગીતશાસ્ત્ર 103 : 12 (GUV)
પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન આપણાંથી દૂર કર્યાં છે.
ગીતશાસ્ત્ર 103 : 13 (GUV)
જેમ પિતા પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.
ગીતશાસ્ત્ર 103 : 14 (GUV)
કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.
ગીતશાસ્ત્ર 103 : 15 (GUV)
માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
ગીતશાસ્ત્ર 103 : 16 (GUV)
કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે; અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
ગીતશાસ્ત્ર 103 : 17 (GUV)
પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે, અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે
ગીતશાસ્ત્ર 103 : 18 (GUV)
એટલે જેઓ તેમનો કરાર માને છે, તથા તેમની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે તે સર્વ પર [તે કૃપા કરે છે].
ગીતશાસ્ત્ર 103 : 19 (GUV)
યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેમના રાજયની સત્તા સર્વ ઉપર છે.
ગીતશાસ્ત્ર 103 : 20 (GUV)
હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા, તથા તેમનાં વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો
ગીતશાસ્ત્ર 103 : 21 (GUV)
હે યહોવાનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
ગીતશાસ્ત્ર 103 : 22 (GUV)
યહોવાના રાજયના સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: