ઊત્પત્તિ 5 : 1 (GUV)
આદમની વંશાવળી આ પ્રમાણે છે: ઈશ્વરે માણસને ઉત્પન્‍ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું;
ઊત્પત્તિ 5 : 2 (GUV)
પુરુષ તથા સ્‍ત્રી તેમણે તેઓને ઉત્પન્‍ન કર્યા. અને તેઓને આશીર્વાદ આપ્યો, ને તેઓની ઉત્પત્તિને દિવસે તેમણે તેઓનું નામ આદમ પાડયું.
ઊત્પત્તિ 5 : 3 (GUV)
અને આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો; અને તેણે તેનું નામ શેથ પાડયું.
ઊત્પત્તિ 5 : 4 (GUV)
અને શેથનો જન્મ થયો પછી આદમના દિવસો આઠસો વર્ષ હતાં; અને તેને દિકરાદીકરીઓ થયાં;
ઊત્પત્તિ 5 : 5 (GUV)
અને આદમના સર્વ દિવસો નવસો ત્રીસ વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 6 (GUV)
અને શેથ એક સો પાંચ વર્ષનો થયો, ત્યારે તેને અનોશ થયો;
ઊત્પત્તિ 5 : 7 (GUV)
અને અનોશનો જન્મ થયા પછી શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 8 (GUV)
અને શેથનાં સર્વ દિવસો નવસો બાર વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 9 (GUV)
અને અનોશ નેવું વર્ષનો થયો, ને તેને કનાન થયો;
ઊત્પત્તિ 5 : 10 (GUV)
અને કેનાનનો જન્મ થયા પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 11 (GUV)
અને અનોશના સર્વ દિવસો નવસો પાંચ વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 12 (GUV)
અને કેનાન સિત્તેર વર્ષનો થયો, ત્યારે તેને માહલાએલ થયો;
ઊત્પત્તિ 5 : 13 (GUV)
નઅએ માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 14 (GUV)
અને કેનાનના સર્વ દિવસો નવસો દશ વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 15 (GUV)
અને માહલાએલ પાંસઠ વર્ષનો થયો, ત્યારે તેને યારેદ થયો;
ઊત્પત્તિ 5 : 16 (GUV)
અને યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરા-દીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 17 (GUV)
અને માહલાએલના સર્વ દિવસો આઠસો પંચાણું વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 18 (GUV)
અને યારેદ એક સો બાસઠ વર્ષનો થયો, ત્યારે તેને હનોખ થયો;
ઊત્પત્તિ 5 : 19 (GUV)
અને હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 20 (GUV)
અને યારેદના સર્વ દિવસો નવસો બાસઠ વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 21 (GUV)
અને હનોખ પાંસઠ વર્ષનો થયો, ત્યારે તેને મથૂશેલાહ થયો;
ઊત્પત્તિ 5 : 22 (GUV)
અને મથૂશેલાહનો જન્મ થયા પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 23 (GUV)
અને હનોખના સર્વ દિવસો ત્રણસો પાંસઠ વર્ષ હતાં.
ઊત્પત્તિ 5 : 24 (GUV)
અને હનોખ ઈશ્વરની સંઘાતે‍ ચાલ્યો, અને તે અલોપ થયો; કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.
ઊત્પત્તિ 5 : 25 (GUV)
અને મથૂશેલાહ એક સો સત્યાસી વર્ષનો થયો, ત્યારે તેને લામેખ થયો;
ઊત્પત્તિ 5 : 26 (GUV)
અને લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 27 (GUV)
અને મથૂશેલાહના સર્વ દિવસો નવસો અગણોતેર વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 28 (GUV)
અને લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો, ત્યારે તેને દીકરો થયો.
ઊત્પત્તિ 5 : 29 (GUV)
અને તેણે તેનું નામ નૂહ [એટલે વિસામો] પાડયું, ને કહ્યું, “જે ભૂમિને યહોવાએ શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે.”
ઊત્પત્તિ 5 : 30 (GUV)
અને નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 5 : 31 (GUV)
અને લામેખના સર્વ દિવસો સાતસો સિત્તોત્તેર વર્ષ હતાં; અને તે મરી ગયો.
ઊત્પત્તિ 5 : 32 (GUV)
અને નૂહ પાંચસો વર્ષનો થયો, અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ થયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: