1. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુનાં દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.
|
2. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો તે હું જાણતો નથી કે, શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી; ઈશ્વર જાણે છે) કે, જેને ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.
|
4. કે, તેને પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહિ, એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી.
|
5. એવાને લીધે હું અભિમાન કરીશ; પણ મારે પોતાને વિષે હું અભિમાન કરીશ નહિ, કેવળ મારી દુર્બળતા વિષે કરીશ.
|
6. કેમ કે જો હું અભિમાન કરવાની ઇચ્છા રાખું, તો હું મૂર્ખ ઠરું નહિ; કેમ કે હું સાચું બોલું છું; પણ કોઈ પણ માણસ મને જેવો જુએ, અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે એ માટે હું ચૂપ રહું છું.
|
7. વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.
|
9. અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.
|
10. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.
|
11. હું અભિમાન કરીને મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી; કેમ કે તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતાં, કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કોઈ પણ રીતે ઊતરતો નથી.
|
12. ખરેખર ચિહ્નો, અદભૂત કૃત્યો તથા પરાક્રમી કામો વડે તમારી આગળ પ્રેરિતનાં લક્ષણો પૂરી ધીરજથી દર્શાવવામાં આવ્યાં હતાં.
|
13. કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તેમ બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા? મારો એટલો અપરાધ માફ કરો.
|
14. જુઓ, હું આ ત્રીજીવાર તમારી પાસે આવવાને તૈયાર છું; અને તમને ભારરૂપ નહિ થઈશ; કેમ કે હું તો તમારું દ્રવ્ય નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા રાખું છું. કેમ કે છોકરાંએ માબાપને માટે સંગ્રહ કરવો ઘટતો નથી, પણ માબાપે છોકરાંને માટે સંગ્રહ કરવો.
|
15. પણ હું તમારા આત્માઓને વાસ્તે ઘણી ખુશીથી મારું સર્વસ્વ ખર્ચીશ તથા હું જાતે પણ ખર્ચાઈ જઈશ. જો હું તમારા પર વધારે પ્રેમ રાખું, તો શું તમે મારા પર ઓછો પ્રેમ રાખશો?
|
18. મેં તિતસને વિનંતી કરી, અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મા ની પ્રેરણા પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?
|
19. આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ. પણ, વહાલાઓ, ખ્રિસ્તમાં ઈશ્વરની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સર્વ તમારી ઉન્નતિને માટે જ છે.
|
20. કેમ કે મને ભય લાગે છે રખેને હું આવું ત્યારે, જેવા તમને જોવાની હું ઇચ્છા રાખું છું, તેવા તમને ન જોઉં, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ, રખેને ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયાં, ગર્વ તથા ધાંધલ થાય.
|
21. રખેને હું ફરી આવું ત્યારે મારો ઈશ્વર મને તમારી આગળ નીચું જોવડાવે; અને જેઓ આજ સુધી પાપ કરતા આવ્યા છે, અને જેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે મારે શોક કરવો પડે.
|