7. જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં,
જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય, અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય, |
12. તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે.
અને મેં જે કંઈ વાવ્યું છે તે સર્વ બાળી શકે છે. |
13. જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય,
મારે તેઓની સાથે તકરાર થઈ હોય, |
14. તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ?
જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ? |
15. કારણ કે, જે ઈશ્વરે મારું સર્જન કર્યું છે તેમણે જ તેઓનું પણ સર્જન કર્યું નથી?
શું તે જ ઈશ્વર સર્વને માતાઓના ગર્ભમાં આકાર આપતા નથી? |
18. પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે,
અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે. |
20. જો તેણે મારી પ્રશંસા ન કરી હોય,
કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય, |
23. પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે;
કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી. |
24. જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય,
અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, 'તુ જ મારી એકમાત્ર આશા છે'; |
27. અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય
અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય, |
28. તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે,
જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય. |
29. જો મેં મને ધિક્કારનારાઓના વિનાશ પર આનંદ કર્યો હોય
અથવા જ્યારે નુકસાન થયું હોય ત્યારે મેં પોતાને અભિનંદન પાઠવ્યાં હોય, |
30. તેથી ઊલટું ખરેખર, તો મેં મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું
અને તેઓ મરણ પામે તે ઇચ્છવાનું પાપ થવા દીધું નથી. |
31. જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય
એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?' |
32. પરદેશીને શહેરના ચોકમાં રહેવું પડતું નહતું;
તેને બદલે, હું મુસાફરને માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખતો હતો. |
34. અને મોટા જનસમુદાયથી ડરીને,
અને કુટુંબના તિરસ્કારથી ડરીને હું મારા ઘરની અંદર છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર ગયો ન હોઉં.... |
35. અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું!
જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો. જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું! |
37. મેં મારાં પગલાં તેની સમક્ષ જાહેર કર્યા હોત;
તો હું ભરોસાપાત્ર થઈને મારું માથું ઊચુ રાખીને તેની સમક્ષ હાજર થાત. |
40. તો મારી જમીનમાં ઘઉંને બદલે કાંટા ઉત્પન્ન થાય
અને જવને બદલે ઘાસ ઉત્પન્ન થાય.” અહીંયાં અયૂબના શબ્દો સમાપ્ત થાય છે. PE |