પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યોહાન

Notes

No Verse Added

યોહાન પ્રકરણ 13

1. હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. 2. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં, 3. પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને 4. [ઈસુ] જમણ પરથી ઊઠે છે, અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો, અને તેને પોતાની કમરે બાંધ્યો. 5. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા. 6. એ પ્રમાણે તે સિમોન પિતરની પાસે આવે છે. તે તેમને કહે છે, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?” 7. ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.” 8. પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.” 9. સિમોન પિતર તેમને કહે છે, “પ્રભુ એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા માથું પણ ધૂઓ.” 10. ઈસુ તેને કહે છે, “જે નાહેલો છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; અને તમે શુદ્ધ છો, પણ બધા નહિ.” 11. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતા હતા. માટે તેમણે કહ્યું, “તમે બધા શુદ્ધ નથી.” 12. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનો ઝભ્ભો પહેર્યોં, અને ફરીથી બેસીને તેઓને કહ્યું “મેં તમને શું કર્યું છે, તે તમે સમજ્યા છો?” 13. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. 14. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15. કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. 16. હું તમને ખચીત ખચીત કહું છું કે, ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે. 18. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્‍ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.] 19. જયારે એ થાય, ત્યારે તમે વિશ્વાસ કરો કે, હું તે છું, એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. 20. હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે.” 21. એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.” 22. તે કોને વિષે એમ કહે છે, એ સંબંધી શિષ્‍યોએ શંકામાં પડીને એકબીજા તરફ જોયું. 23. હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો. 24. માટે સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, “તે કોના વિષે કહે છે, તે [અમને] કહે.” 25. ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેને પૂછે છે “પ્રભુ, તે કોણ છે?” 26. માટે ઈસુ ઉત્તર આપે છે “હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. 27. અને કોળિયો [લીધા] પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ” 28. હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા બેઠેલાઓમાંનો કોઈ સમજ્યો નહિ. 29. કેમ કે કેટલાકે ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. 30. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વખતે રાત હતી. 31. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે, “હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, અને તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. 32. ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે, અને તેને વહેલો મહિમાવાન કરશે. 33. ઓ નાનાં બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. 34. હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. 35. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” 36. સિમોન પિતર તેમને પૂછે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જ્યાં હું જાઉં છું, ત્યાં તું મારી પાછળ હમણાં આવી શક્તો નથી. પણ પછી તું મારી પાછળ આવીશ.” 37. પિતર તેમને કહે છે “પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી નથી શકતો? તમારા માટે હું મારો જીવ આપીશ.” 38. ઈસુ ઉત્તર આપે છે, “શું તું મારે માટે તારો જીવ આપશે? હું તને ખચીત ખચીત કહું છું કે, મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”
1. હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. .::. 2. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં, .::. 3. પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને .::. 4. [ઈસુ] જમણ પરથી ઊઠે છે, અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો, અને તેને પોતાની કમરે બાંધ્યો. .::. 5. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા. .::. 6. એ પ્રમાણે તે સિમોન પિતરની પાસે આવે છે. તે તેમને કહે છે, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?” .::. 7. ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.” .::. 8. પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.” .::. 9. સિમોન પિતર તેમને કહે છે, “પ્રભુ એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા માથું પણ ધૂઓ.” .::. 10. ઈસુ તેને કહે છે, “જે નાહેલો છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; અને તમે શુદ્ધ છો, પણ બધા નહિ.” .::. 11. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતા હતા. માટે તેમણે કહ્યું, “તમે બધા શુદ્ધ નથી.” .::. 12. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનો ઝભ્ભો પહેર્યોં, અને ફરીથી બેસીને તેઓને કહ્યું “મેં તમને શું કર્યું છે, તે તમે સમજ્યા છો?” .::. 13. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. .::. 14. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. .::. 15. કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. .::. 16. હું તમને ખચીત ખચીત કહું છું કે, ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. .::. 17. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે. .::. 18. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્‍ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.] .::. 19. જયારે એ થાય, ત્યારે તમે વિશ્વાસ કરો કે, હું તે છું, એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. .::. 20. હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે.” .::. 21. એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.” .::. 22. તે કોને વિષે એમ કહે છે, એ સંબંધી શિષ્‍યોએ શંકામાં પડીને એકબીજા તરફ જોયું. .::. 23. હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો. .::. 24. માટે સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, “તે કોના વિષે કહે છે, તે [અમને] કહે.” .::. 25. ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેને પૂછે છે “પ્રભુ, તે કોણ છે?” .::. 26. માટે ઈસુ ઉત્તર આપે છે “હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. .::. 27. અને કોળિયો [લીધા] પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ” .::. 28. હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા બેઠેલાઓમાંનો કોઈ સમજ્યો નહિ. .::. 29. કેમ કે કેટલાકે ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. .::. 30. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વખતે રાત હતી. .::. 31. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે, “હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, અને તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. .::. 32. ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે, અને તેને વહેલો મહિમાવાન કરશે. .::. 33. ઓ નાનાં બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. .::. 34. હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. .::. 35. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” .::. 36. સિમોન પિતર તેમને પૂછે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જ્યાં હું જાઉં છું, ત્યાં તું મારી પાછળ હમણાં આવી શક્તો નથી. પણ પછી તું મારી પાછળ આવીશ.” .::. 37. પિતર તેમને કહે છે “પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી નથી શકતો? તમારા માટે હું મારો જીવ આપીશ.” .::. 38. ઈસુ ઉત્તર આપે છે, “શું તું મારે માટે તારો જીવ આપશે? હું તને ખચીત ખચીત કહું છું કે, મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.” .::.
  • યોહાન પ્રકરણ 1  
  • યોહાન પ્રકરણ 2  
  • યોહાન પ્રકરણ 3  
  • યોહાન પ્રકરણ 4  
  • યોહાન પ્રકરણ 5  
  • યોહાન પ્રકરણ 6  
  • યોહાન પ્રકરણ 7  
  • યોહાન પ્રકરણ 8  
  • યોહાન પ્રકરણ 9  
  • યોહાન પ્રકરણ 10  
  • યોહાન પ્રકરણ 11  
  • યોહાન પ્રકરણ 12  
  • યોહાન પ્રકરણ 13  
  • યોહાન પ્રકરણ 14  
  • યોહાન પ્રકરણ 15  
  • યોહાન પ્રકરણ 16  
  • યોહાન પ્રકરણ 17  
  • યોહાન પ્રકરણ 18  
  • યોહાન પ્રકરણ 19  
  • યોહાન પ્રકરણ 20  
  • યોહાન પ્રકરણ 21  
×

Alert

×

gujarati Letters Keypad References